Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતમાં હત્યા કરી ફરાર બનેલ આરોપીને વાંકાનેર પોલીસે ઝડપી લીધો

અનેક અટપટા ગુન્હાના આરોપીઓને ઝડપનાર પીઆઇ બી.પી.સીનારાના માર્ગદર્શન હેઠળ એએઆઇ હીરાભાઈ અને હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ઝાલા ટીમને વધુ એક સફળતા

રાજકોટ તા.૨૬,સુરતના હત્યા કેશનો આરોપી જામીન મળ્યા બાદ ફરાર થઈ વાંકાનેરમાં છુપાયાની હકીકત જણાવી સુરત પોલીસ દ્વારા વાંકાનેર પોલીસની સમર્ક સાધતા સાબરમતી જેલના પાકા કામના આરોપીને તે નાશી છુટે તે પહેલાં વાંકાનેર શહેર પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાં ટીમ દ્વારા આબાદ ઝડપી લય સુરત પોલીસ ને સુપરત કરી આપતા આવી ઝડપી કામગીરી બદલ ઊંચ અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

 વાંકાનેર શહેર પીઆઇ બી.પી.સોનાર પાસે સુરત એસઓજીના એએસઆઇ હસમુખભાઈ દ્વારા રૂબરૂ સંપર્ક કરી સુરતની એક હત્યા કેસનો આરોપી અને સાબરમતી જેલના પાકા કામના કેદી કલ્પેશભાઈ અશોકભાઈ જામીન મળ્યા બાદ ફરાર થઇ વાંકાનેર આસપાસ છુપાયાનું જાણવી પીઆઇ બી.પી. સોનારાની મદદ માંગી હતા. 

ભૂતકાળમાં આવા અનેક ગુન્હાના આરોપીઓને કુનેહથી ઝડપનાર પોલીસ ઇન્સ્પેકટર શ્રી.સોનાર દ્વારા પોતાના સ્ટાફના એ.એસ. આઈ. હીરાભાઈ મઠિયા તથા હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ઝાલાની ટીમ બનાવી પોતાના માર્ગદર્શન હેઠળ સઘન શોધખોળ બાદ વાંકાનેરના પ્રતાપ ચોક પાસેથી ઝડપી લય સુરત પોલીસ ને સુપરત કરી આપેલ. હત્યા જેવા ગંભીર મામલાના વોન્ટેડ આરોપી ને વાંકાનેર પોલીસ ત્વરિત ઝડપી પાડતા ઊંચ અધિકારીઓ દ્વારા પ્રસંશા વ્યકત થયા છે.

(2:38 pm IST)