Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના માતૃશ્રી અનંતયાત્રાએ

પૂર્વ પ્રધાન સ્વ.અશોકભાઇ ભટ્ટના ધર્મપત્ની જયોતિબેનનો દેહવિલય

રાજકોટઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજય સરકારમાં વિવિધ વિભાગોના કેબીનેટ મંત્રી રહી ચુકેલા સ્વ.શ્રી અશોકભાઇ ભટ્ટના ધર્મપત્ની જયોતિબેન તે ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના માતૃશ્રીનું ગઇકાલે દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા આજે સવારે તેમના  નિવાસસ્થાન પાવાપુરી સોસાયટી, પાલડી અમદાવાદ ખાતેથી નીકળી હતી. સ્વ.અશોકભાઇની જાહેર જીવનની સફળતામાં જીવનસંગીની સ્વ.જયોતિબેનનું મહત્વનું યોગદાન હતું.

તેમ સર્વશ્રી ભૂષણ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય જમાલપુર-ખાડિયા) મો.૯૮રપ૦ ૦૬૯પર) પ્રતિક ભટ્ટ, મૌલિક ભટ્ટ (એડીસી બેંક)અને આનંદકુમાર ડણાકે જણાવ્યું છે.

(11:04 am IST)