Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા રજપૂત ફળીયામાં પુત્રવધુનું અપહરણ કરવા આવેલા 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

પુત્રએ પ્રેમલગ્ન કર્યા હોય જેમાં પુત્રવધુના પિતા રાજી ન હોય માટે તેમણે આવું કૃત્ય કરાવ્યું હોવાનો શક વ્યક્ત કરાયો છે,સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા

(ભરત શાહ દ્વારા )રાજપીપળા : રાજપીપળા શહેરના હાર્દસમાં રજપુત ફળીયા વિસ્તારમાં પ્રેમલગ્ન કરી આવેલી પરિણીતાનું અપહરણ કરવાના ઇરાદે ફોર વ્હીલ ગાડી લઈ આવેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ પરિણીતાને ખેંચી ને લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ કરતા સસરાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રજપૂત ફળિયામાં રહેતા હિતેન્દ્રસિંહ ગણપતસિંહ બારડએ આપેલી ફરિયાદ મુજબ તેમના ઘરે ત્રણ અજાણ્યા શખ્શોએ  આવી  પુછેલ કે દક્ષાબેન(પુત્રવધુ)કયા છે ? તેમ પુછતા ફરીયાદીને શક જતા દક્ષાબેન ધરમાં નથી તેમ કહેતા આ સમોલોકોએ દક્ષાબેનને ઘરમાં જોઇ જતા તેના તરફ દોડી જઇ તેનો હાથ પકડી તુ અમારા સાથે ચાલ તેમ કહીં ખેંચી લઇ જવાનો પ્રયાસ કરતા સસરાએ પોતાના દિકરાની પત્ની દક્ષાબેનને છોડાવવા જતા આ સાથેના બીજા બે શખ્સો પૈકી એકે બાથ ભરી પકડી રાખેલ અને ત્રીજો શખ્શ  દરવાજા પાસે ઉભો રહી બહાર નજર રાખતો હતો એ વખતે સસરા અને દક્ષાબેન બુમાં બુમ કરતા ત્રણેય અજાણ્યા શખ્શો ઘરની બહાર ઉભી રાખેલ સફેદ કલરની સ્વીફટ ડીઝાઇર ગાડી જેનો રજી નંબર- GJ - 18 - B 3191 નાશી ગયા હતા.

  ફરિયાદી હિતેન્દ્રસિંહના દિકરા ધનપાલસિંહ એ દક્ષાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય આ લગ્નથી દક્ષાબેનના પિતાજી રાજી ન હતા તેમના કોઇ માણસો થકી દક્ષાબેનનું અપહરણ કરવાના ઇરાદે આવુ કૃત્ય કરેલ હોવાનો ફરીયાદીને શક ગયો હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે. રાજપીપળા પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે

(11:58 pm IST)