Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

લાખણી તાલુકાના શેરગઢ નજીક ફાર્મહાઉસમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી દટાયેલા મજૂરનું ઘટનાસ્થળેજ મોત

લાખણી:તાલુકાના શેરગઢ ગામે એક ફાર્મ હાઉસમાં શૌચાલયના કુવાનુ ખોદકામ કરતા માટીની ભેખડ ઘસી પડતા દટાયેલા મજુરનુ મોત નિપજયુ હતું.
લાખણી તાલુકાના શેરગઢ ગામે ઠાકોર ઈશ્વરજી મોબતાજીના ફાર્મ હાઉસ ઉપર શૌચાલયના  કુવાનુ  ખોદકામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન ગામના ઠાકોર અશોકજી ઈશ્વરજી, (ઉ.વ.૩ર રહે. શેરઢગ, તા.લાખણી કુવામાં કામગીરી કરી રહ્યા હતા.ત્યારે  અચાનક એક માટીની ભેખડ તેમના પર ઘસી પડતા તેઓ કુવામાં દટાયા હતા. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તીતક્લિક જેસીબીમંગાવી  બચાવ કામગીરી હાથ ધરી હતી.આશરે દોઢ કલાકની  મહેનત  બાદ ઠાકોર અશોકજીને જેસીબી દ્વારા ખોદાકામ  કરી બહાર કાઢવામાં આવતા તપાસ કરતા તેમનુ મોત થયેલુ જણાયુ હતુ.
આ અંગેની ભીલડી પોલીસને જાણ  કરતા ભીલડી પીએસઆઈ ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી કરી  મૃતક અશોકજીની લાશનુ ભીલડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશ વાલીવારસોને સુપ્રત કરી હતી. ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

(7:04 pm IST)