Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આણંદ જિલ્લામાં અજાણ્યા વાહનની ટક્કરે સર્જાયેલ ત્રણ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ

નડિયાદ: આણંદ જિલ્લામાં ગઇકાલે રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે બે લોકોના મોત થયા હતા. જ્યારે નડિયાદમાં ટુંડેલ ગામની સીમમાં પણ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા કેરીઆવી ગામમાં રહેતા બાઇક ચાલકનું મોત થયું હતું. બોરસદ-આણંદ રોડ પર આંકલાવના આસોદર ગામ રહેતી મહિલા ફ્લાયઓવરબ્રિજ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા વાહને તેમને ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતનો ત્રીજો બનાવ ખંભાત-ગોલાણા માર્ગ પર તામસા પાટિયા પાસે બન્યો હતો. જેમાં પણ અજાણ્યો વાહનચાલક ગુડેલ ગામના આધેડને ટક્કર મારી ભાગી ગયો હતો. આધેડનું મોત નિપજ્યું હતું. આમ આણંદ જિલ્લામાં અને નડિયાદમાં અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં નિર્દોષ લોકોના મોત થયા હતા.

(5:29 pm IST)