Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અકિલા પરિવાર સાથે પ્રવીણસિંહાનો ગાઢ નાતો કાયમ માટે અકબંધ

 રાજકોટ તા .૨૬, ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ અને ગુજરાત અને દેશને ગૌરવ અપાવનાર પ્રવીણ સિંહા અને અકિલા પરિવાર સાથે ખૂબ ગાઢ અને નિસ્વાર્થ સંબંધ વર્ષોથી અકબંધ છે, જેમાં દિવસે દિવસે ઘટાડાને બદલે વધારો થયો છે.   અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઈ, શ્રી રાજુભાઈ ગણાત્રા અને વેબ એડિસનના ચીફ એવા શ્રી નીમિષભાઈ ગણાત્રા હોય કે અકિલા પરિવારના સિનિયર પત્રકાર જગદીશભાઈ ગણાત્રા સાથે કાયમ પારિવારિક સંબંધો યથાવત્ રહ્યા છે. તમામ પ્રસંગોમાં પણ પરિવારના સભ્ય જેમ સતત ઉંપસ્થિત રહી વ્યવસ્થામાં પણ મદદરૂપ બન્યા છે. આવા આઇપીએસ આવા મહત્વના પદ પર ચૂંટાતા અકિલા પરિવારમા પણ બે દિવસથી ખુશીનો માહોલ છે.  

 

(11:40 am IST)