Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળશે: સરકારી ભરતીઓમાં શૈક્ષણિક લાયકાત મામલે રજૂઆત કરશે

અમદાવાદ : આવતીકાલે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને સરકારી ભરતીઓમાં શૈક્ષણિક લાયકાત અંગે રજૂઆત કરશે. આવતીકાલે સાંજે પાંચ કલાકે પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે. સરકારી શાળાઓ મર્જ કરવા સહિત વર્ગ 3 ની સરકારી ભરતીઓમાં સરકારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12ના બદલે ગ્રેજ્યુએટ કરી છે. આ મુદ્દે પણ ચર્ચા થવાની શકયતા છે રાજ્યપાલને મળવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા,વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના સિનિયર નેતાઓ રાજ્યપાલને મળવા જશે.

(9:49 pm IST)