Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો:નવા 85 કેસ નોંધાયા:વધુ 115 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.033 થયો :કુલ 12.62.349 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 64.780 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 981 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 85 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 115 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.349 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,033 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 64.780 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,65.88.511 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 981 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 977 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 115 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 22 કેસ,સુરત કોર્પોરેશનમાં 17 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ,વડોદરામાં 5 કેસ,આણંદ, સાબરકાંઠા અને સુરતમાં 4-4 કેસ,ગાંધીનગર કોર્પોરેશન,વલસાડમાં 3-3 કેસ, ગાંધીનગર,અને નવસારીમાં 2-2 કેસ, બનાસકાંઠા,મોરબી, રાજકોટ,રાજકોટ કોર્પોરેશન,સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:35 pm IST)