Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મનીષ સિસોદિયાની સામે અંબાજીમાં ભક્‍તોએ મોદી-મોદીના નારા લગાવ્‍યા

અંબાજી, તા. ર૬:  દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયા ૬ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે તેઓ અંબાજીએ મા અંબાના દર્શને પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ પહોંચતા જ મા અંબાના દર્શન માટે લાઈનમાં ઊભેલા ભક્‍તોએ મનીષ સિસોદિયાની હાજરીમાં મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
આજથી શરૂ થતા નવરાત્રિના પર્વના પહેલા નોરતે દિલ્‍હીના મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયા મા અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજી ખાતે પહોંચ્‍યા હતા. તેમણે માતાજીના દર્શન કર્યા બાદ શક્‍તિપીઠની માહિતી મેળવી હતી. આ દરમિયાન બીજી તરફ લાઈનમાં ઊભેલા ભક્‍તોએ મોદી-મોદી અને હર હર મોદી, ઘર ઘર મોદીના નારા લગાવ્‍યા હતા.

 

(3:47 pm IST)