Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નરેન્દ્રભાઈ ૩૦મીએ અમદાવાદમા મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેકટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે : ભૂપેન્દ્રભાઈ પટેલે મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

રાજકોટ : અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેકટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેઙ્ગ ઙ્ગમેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાનશ્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સવારે કર્યું હતું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાઙ્ગએસ. એસ.રાઠોર,મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા,મેટ્રો રેલ, શહેરી વિકાસ વિભાગ અનેઙ્ગ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા.

(12:02 pm IST)