Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાજ્યમાં કોરોના થાક્યો :નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.618 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વધુ 1.44.317 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 7 કેસ, સુરતમાં 6 કેસ, વડોદરામાં 4 કેસ, અમરેલી, ભાવનગર, ખેડા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 151 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  19 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15. 618 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.44.317  લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 5.95.24.459  લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 148 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.618  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 21 કેસમાં અમદાવાદમાં 7 કેસ, સુરતમાં 6 કેસ, વડોદરામાં 4 કેસ, અમરેલી, ભાવનગર, ખેડા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

(8:32 pm IST)