Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોના મહામારીમાં સેવાકાર્ય બદલ રાજપીપળાના મિત ગ્રુપને રેવાના મોતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના આંબેડકર ભવન ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને એન. ડી. ગ્રુપ ઓફ કંપનીઝ,ન્યૂ દિલ્હી,ઇનરેકા સંસ્થાન, ડેડીયાપડાના સંયુક્ત ઉપક્રમે,નર્મદા જિલ્લા માં કોવિડ-19ની મહામારીમાં નિઃસ્વાર્થભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ તથા સંસ્થાઓને રેવા ના મોતી એવોર્ડ- 2020 થી બિરદાવવા માટે એક સન્માન સમારંભ યોજાયો હતો જેમાં રાજપીપળા ના સેવાભાવી મિત ગ્રુપના યુવાનોને પણ સુગર ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ તબક્કે મિતગ્રુપે તમામ મહાનુભવોનું તથા જેટલા લોકો કે સંસ્થાઓએ સેવાઓ આપી એ તમામનો મિત ગ્રુપના યુવાનોએ આભાર માન્યો હતો.

(6:55 pm IST)