Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૯૨૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શનિવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં રાજેન્દ્રનગર સોસા ૦૧ સુર્ય પ્લાઝા ૦૧ નાંદોદ ના ભદામ ૦૩ શિવમનગર ૦૧ તેમજ ગરુડેશ્વર ૦૨ તિલકવાળા ૦૧ દેવલીયા ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૭ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૭૧ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૨૦ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(6:42 pm IST)