Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

29મીએ ભરૂચમાં સંવિધાન બચાવો ચિંતન સંમેલન : બાબા સાહેબ આબેડકરના પૌત્ર સહિતના હાજરી આપશે

ભરૂચ : દેશની તાજેતરની શૈક્ષણિક, સામાજીક, આર્થિક, તેમજ સદભાવના અંગની પરિસ્થિતી બાબતે 29મીના રોજ ભરૂચમાં ચિંતન સંમેલનનું આયોજન કરાયું છે

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી દેશમાં આજે કઠિન પરિસ્થિતમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં દલિત,આદિવાસી અને ધાર્મિક અલ્પસંખ્યકો ઉપર અમાનુષી જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. સંત રવિદાસ 600 વર્ષ જુનું દિલ્હી નું મંદિર તોડી નાખવાની ઘટના, આદિવાસીઓની જમીનનો લઈ ધંધો-રોજગાર વિના કરવા જેવા મુદ્દાઓને લઈને સંવિધાન બચાવો ચિંતન સંમેલનનું આયોજન કરાયું છે.

  સંમેલન સવારે 10 કલાકે શેરપુરા- ડુંગરી રોડ પર આવેલી ઇસ્લામિક સ્કુલ ખાતે યોજાશે. જેમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંત રાવ આંબેડકર, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો હાજર રહેશે તેમ રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના આગેવાનોએ જણાવ્યું છે.

(9:04 pm IST)