Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

આંકલાવના ઉમેટા નજીકથી પસાર થતી મહીસાગર નદી પર આવેલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ માધ્ય રાત્રીએ મોતની છલાંગ લગાવી: તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી

આણંદ:આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપર આવેલ બ્રીજ ઉપરથી ગતરોજ રાત્રિ દરમ્યાન પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થતા પોલીસ તંત્ર દોડતુ થઈ જવા પામ્યું છે ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ મહીસાગરમાં તરવૈયાઓની મદદથી નોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદીના બ્રીજ ઉપર ગત રાત્રિ દરમ્યાન પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી હોવાની બાતમી મળતા આંકલાવ પોલીસ મહીસાગર નદી ખાતે દોડી ગઈ હતી તથા બ્રીજ ઉપરથી મોટરસાયકલ તથા ચપ્પલ અને જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહોને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસને પ્રાથમિક તબક્કે બંને યુવક-યુવતી વડોદરાના હોવાનું જાણવા મળેલ છે.

(5:21 pm IST)