Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ડીવાયએસપી જે.એમ. ભરવાડની મુશિબત વધીઃ ધરપકડ વોરન્ટ રદ્દ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

અમદાવાદ, તા. ર૬ : લાંચ લેવાના કેસમાં આરોપી ડીવાયએસપી જે.એમ. ભરવાડની મુશ્કેલી વધી ગઇ છે. હાઇકોર્ટે જે.એમ. ભરવાડ સામે ઇસ્યુ થયેલ ધરપકડનું વોરંટ રદ્દ કરવા કર્યો ઇન્કાર કર્યો છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૭૦ હેઠળ જે.એમ. સામે વોરન્ટ ઇસ્યુ થયું છે. વોરંટને રદ કરવા માટે જે.એમ. ભરવાડે હાઇકોર્ટમાં ફરી હતી અરજી. અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ જેતપુરમાં છટકું ગોઠવી એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડયા બાદ તપાસમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડનું પણ નામ ખૂલ્યું હતું.

(4:04 pm IST)