Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાદરવી પૂનમના મહામેળા બાદ દાંતાથી અંબાજી માર્ગમાં સફાઈ અભિયાન: કોલેજોના 700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ભાદરવી પૂનમના મહામેળા બાદ અંબાજીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દાંતાથી અંબાજીના માર્ગમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરની વિવિધ કોલેજોના 700થી વધુ વિદ્યાર્થીઓ સફાઇ અભિયાનમાં જોડાયા હતા

   પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતાની થીમ સાથે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. ત્યારે તંત્રને પણ પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છતાની થીમ પર સફળતા મળી હતી.

(7:45 pm IST)