Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નર્મદા જિલ્લાના કોઠી ગામની સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં સડેલા ચણા મળતા કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની દ્વારા તપાસના આદેશો

અમદાવાદઃ ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે ગુજરાતના નર્મદા જિલ્લાના કોઠી ગામની સરકારી શાળાની મુલાકાતે આવ્યા ત્યારે તેમને કલ્પના પણ નહતી કે શાળાના બાળકો સાથે આવુ કરાતુ હશે. બાળકોને મધ્યાહ્ન ભોજનમાં પીરસવા માટે એક કોથળો ભરીને સડેલા ચણા મળી આવ્યા હતા. જ્યારે ઈરાનીના ધ્યાનમાં બાબત આવી ત્યારે તેણે સ્થાનિક સત્તાધીશોને 24 કલાકમાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો.

ઈરાની આયુષ્માન ભારત સ્કીમ લોન્ચ કરવા માટે બે દિવસ ગુજરાતની મુલાકાતે હતા. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડવાની સ્કીમનું પણ તેમણે ઉદઘાટન કર્યું. ગુજરાતની વિઝિટ દરમિયાન તે નર્મદા જિલ્લાના કોઠી ગામની શાળાની મુલાકાત પણ લેવાના હતા. અહીં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો અને ગર્ભવતી સ્ત્રીઓને પોષણક્ષમ અનાજ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંત્રી આવે તેના એક કલાક પહેલા સ્થાનિકોએ બાળકો માટે મધ્યાહન ભોજન બનાવતા કાર્યકરને કીડા પડી ગયેલા ચણાના કોથળા સાથે પકડ્યો હતો. નવાઈની વાત તો છે કે તે ચણા સ્વાસ્થ્ય માટે સારા હોવાનું જાણતો હોવા છતાંય તેણે આમાંથી એક વાર તો છોલે બનાવી પણ દીધા હતા.

ઈરાની શાળામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ તેને ઘટના અંગે જાણ કરી. ઘટનાની ગંભીરતા જોઈને ઈરાનીએ જિલ્લાના કલેક્ટરને ઈન્ક્વાયરી કરીને 24 કલાકમાં તાબડતોબ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો છે. કલેક્ટર આર.એસ નિનામાએ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહતા. ઘટનાસ્થળે ઉપસ્થિત ભાજપના એમ.પી મનસુખ વસાવા પણ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહતા. એવું જાણવા મળ્યું છે કે વસાવાએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે તે એડમિનિસ્ટ્રેશનને બદનામ કરવાની એક ચાલ છે. માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું, “તમે સડેલા ચણાની વાત કરો છો પણ વડાપ્રધાન મોદીના રાજમાં તો આખા દેશનો વહીવટ ખાડે ગયો છે. વચેટિયાઓ મલાઈ ખાઈ જાય છે જ્યારે બાળકો માટે માત્ર સડેલુ ભોજન રહી જાય છે.”

(6:01 pm IST)