Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ જિલ્લા દ્વારા વિરમગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે 45 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ જિલ્લા દ્વારા વિરમગામ મુકામે ડીસીએમ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો દીપ પ્રાગટ્ય આચાર્ય આર ડી ચૌધરી ,પ્રાધ્યાપક અશ્વિનભાઇ  આણદાણી તથા એબીવીપી અમદાવાદ જિલ્લા પ્રમુખ  તેજસભાઇ વજાણી જિલ્લા સંગઠન મંત્રી અમરસિંહ ચાવડા ના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના આ સમય દરમિયાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ગર્ભવતી મહિલાઓને મદદરૂપ થવા માટે આયોજીત રક્તદાન શિબિરમાં 45 લોકોએ ઉત્સાહભેર રક્ત દાન કર્યું હતું. રક્તદાનમાં આજુબાજુ ગામના યુવાનો, પ્રાધ્યાપકો, નગરજનો તથા, પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ કરવા માટે નગર મંત્રી  ચામુંડાસિંહ પવાર, કોલેજ મંત્રી હાર્દિકભાઈ શ્રીમાળી, કેમ્પસ મંત્રી યશરાજ લીબોલા વિગેરે એ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.

Attachments area

(7:03 pm IST)