Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજપીપળા ખાતે બની રહેલા ગેસ આધારિત સ્મશાન ગૃહના નિર્માણ માટે રૂ.2,61,000 નું દાન મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કોરોના કાળ માં તંત્ર સાથે ખભે ખભા મિલાવી કોરોનાના મૃતકોની અંતિમક્રિયાની લોકઉપયોગી કામગીરીનું સેવા કાર્ય કરતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા ગેસ આધારિત સ્મશાન ગૃહ બની રહ્યું છે જેના નિર્માણ માટે દેશ વિદેશમાંથી દાનવીરો દ્વારા દાન મળી રહ્યું છે જેમાં હાલમાં રાજપીપળા નિવાસી સ્વ.રાધાબેન મંગળદાસ મઢીવાલા પરિવાર તરફથી પણ ગેસ આધારિત સ્મશાન ગૃહ ના નિર્માણ માટે રૂ.2,61,000 નું દાન "સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ",રાજપીપલાને મળ્યું છે તેથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજે આ દાતા તેમજ અગાઉ પણ જે જે દાતાઓએ આ સેવાકાર્ય માટે દાન આપ્યું છે એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:37 pm IST)