Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સુરતના મહા મંગલપુરીધામ પ્રણામી મોટા મંદિરે તા. ૨૮થી ૪ જુલાઇ સુવર્ણદ્વાર અનાવરણ મહોત્સવ

પૂ.આચાર્યશ્રી ૧૦૮ સૂર્યનારાયણદાસ મહારજાની નીશ્રામાં

ભાવનગર તા. ૨૬: સુરતના સૈયદવાડા વરીયાવી બજાર ખાતે આવેલ પ.મહામંગલપુરી ધામ પ્રણામી મોટા મંદિરના ૩૪૬મો વાર્ષિક મહોત્સવ તા. ૨૮ જુન થી ૪ જુલાઇ સુધી રંગેચંગે સંપન્ન થશે.ઓડના વતની અને હાલ યુ.એસ.એ.ના મીનેશ આર.પટેલ શ્રીમતી રાગીની બહેન સુપુત્રી શ્યામા અને દિનેશભાઇ સતાભાઇ શ્રીમતી અનીતાબહેન સુપુત્ર રાજ તરફથી તારતમવાણીના યુગલ સ્વરૂપને સુવર્ણ દ્વારા અનાવરણ થશે.

સાથેોસાથ સાત દિવસ  તારમવાણી ના ૧૦૮ પારાયણ પ.મહામંગલપુરીધામના રાજશાસ્ત્રીના વ્યાસાસને શ્રીમદ્  ભાગવતનુ આયોજન થયેલ છે. સુવર્ણ સેવા પધરામણી તથા સુવર્ણદ્વાર અનાવરણ મહોત્સવનો લાભ લેવા પુ.આચાર્યશ્રી ૧૦૮ સુર્યનારાયણદાસ મહારાજે નિમંત્રણ પાઠવ્યુ છે.

(11:25 am IST)