Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સરદાર સરોવર ડેમની વધતી સપાટી :છેલ્લા ત્રણ દિવસમાં જળસપાટીમાં 1 મીટરનો વધારો

અમદાવાદ :મધ્યપ્રદેશમાં પડેલા સારા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ત્રણ દિવસથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં જળસપાટીમાં એક મીટર જેટલો વધારો થયો છે અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 107.63 મીટરને વટાવી ગઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 16 હજાર 963 ક્યુસેક છે.

(11:43 pm IST)