Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમદાવાદના વાડજમાં બાળકોને ઉઠાવી જતી હોવાની શંકાએ લોકોના ટોળાએ ભિખારી મહિલાઓને માર્યો માર :એક મહિલાનું મોત

અમદાવાદના વાડજ વિસ્તારમા ભિખારી મહિલાઓ પર લોકોના ટોળાએ હુમલો કરતા એક મહિલાનું મોત થયું છે બાળકોને ઉઠાવવી જતી મહિલાઓના વાઈરલ થયેલા મેસેજ બાદ મંગળવારે વાડજ વિસ્તારમાં 1000થી વધુ લોકોના ટોળાએ ભીખ માંગી રહેલી કેટલીક મહિલાઓને માર માર્યો હતો. જેમાં 45 વર્ષીય એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ શાંતાદેવી તરીકે થઈ છે જે મેલડી માતાના છાપરા, સરદારનગર ખાતે રહેતી હતી.

(8:18 pm IST)