Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજપીપળા વાસીઓ આનંદો.. શહેરમાં ૨૭ મેનાં રોજ ચાર કલાક વીજ પુરવઠો બંધ નહિ રહે

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા અવાર નવાર કામગીરી માટે લાઈટો બંધ રાખવામાં આવે છે ત્યારે આવનારા ચોમાસા પહેલા સબસ્ટેશન પર જાળવણી કરવી જરૂરી છે.માટે આ કામગીરી માટે આગામી ૨૭ તારીખે લાઈટો બંધ રહેવાની વીજ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગેટકોની કામગીરી સાથે સાથે DGVCLનો સ્ટાફ પણ રાજપીપળા ટાઉન સબડિવિઝનના વિવિધ ફીડર પર જાળવણીની કામગીરી કરનાર હોય જેથી આખા રાજપીપળા શહેર માં આવતીકાલ તારીખ ૨૭ મે નાં દિવસે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીનાં ચાર કલાક માટે વીજ કંપની દ્વારા લાઈટો બંધ રાખવાની જાહેરાત થઈ હતી પરંતુ કોઈક કારણોસર વીજ કંપની દ્વારા આ કાર્યક્રમ રદ કરાયો હોવાથી હવે તારીખ ૨૭ મેને શનિવારે લાઈટો રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ વીજ કંપનીના ઇજનેર તરફથી જણાવવા આવ્યું છે.

   
(10:10 pm IST)