Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુરતના લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો

સુરતમાં  બાબા બાગેશ્વર ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

   
(8:24 pm IST)