Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અંધ બાળકોની ચેસ ટુર્નામેન્‍ટમાં બેગ અર્પણ

(કેતન ખત્રી) અમદાવાદ : શ્રી પરમ પૂજય જૈનાચાર્ય શ્રી પ્રસન્‍ન કિર્તીસાગર સુરી મહારાજ સાહેબની દીક્ષાતિથિ નિમિતે પ્રભુભકિત ગુરૂ ભકિતની સાથે સાથે સાધર્મિક ભકિત તથા અંધજન મંડળ, બહેરા - મૂંગા શાળા, વિકાસ ગૃહ, વૃદ્ધાશ્રમ, મંદબુદ્ધિ સ્‍કુલ, અપંગ પુનર્વસન કેન્‍દ્ર, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર, બાળ હોસ્‍ટેલ કન્‍યા આદિ વિવિધ ૩૦ થી વધુ સ્‍થળો પર દિક્ષા તિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૧મી ઉજવણીના ભાગરૂપે અંધજન મંડળમાં થઈ રહેલ અંધ બાળકોની ચેસ ટુર્નામેન્‍ટમાં બાળકોને બેગ ભેટ આપવામાં આવી હતી. જેમાં શ્રી પ્રસન્‍ન કિર્તીસાગર સુરી મહારાજના શિષ્‍ય શતાવધાની મુનિ શ્રી ભવ્‍ય કિર્તીસાગર મહારાજ સાહેબ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

(4:22 pm IST)