Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૧૪ એપ્રિલ પછીની તમામ અરજીના કિસ્સામાં નવી જંત્રીનો અમલ કરાશે

ઉભા થયેલા કેટલાક પ્રશ્નો, હક્ક પત્રકોને અદ્યતન કરવા ફેર માપણીના આધારે માપણી વધારો નિયમબધ્ધ કરવા કયા દરે જંત્રી વસૂલવી ?ઙ્ગઃ સરકારે ઔધોગિક હેતુ માટે ફાળવેલી જમીનના કેસમાં કંપનીના મર્જર, ડી-મર્જર, એકિવઝિશન, કંપનીના નામફેર વખતે જમીન તબદીલી કરવાની થાય તો સરકારી જમીનનું પ્રીમિયમ જંત્રીના કયા દરે વસૂલાશે ?

અમદાવાદ તા. ૨૬ : સરકારે રાજયમાં નવી જંત્રીના દરમાં ૧૦૦ ટકાનો વધારો કર્યા બાદ ૧૫મી, એપ્રિલ-૨૦૨૩થી તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. આ દરમિયાનમાં સરકારે એવી જાહેરાત કરી દીધી છે કે, ૧૪મી, એપ્રિલ-૨૦૨૩ સુધીમાં ઈનવર્ડ થયેલી અરજીઓ અંગે આખરી હુકમ કરતી વખતે જૂની જંત્રી ધ્યાને લેવાશે. એવી જ રીતે, ૧૪મી, એપ્રિલ-૨૦૨૩ પછીની તમામ અરજીઓના કિસ્સામાં નવા જાહેર કરાયેલા પ્રવર્તમાન જંત્રીના દરોને ધ્યાનમાં લઈ નિર્ણય કરાશે. મહેસૂલ વિભાગે તેના આ નવા નિર્ણય કે સ્પષ્ટતા અંગે તમામ જિલ્લા કલેકટરોને પણ લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે.

હકીકતમાં રાજય સરકાર સમક્ષ એવી રજૂઆતો થઈ હતી કે, (૧) હક્ક પત્રકોને અધતન કરવા માટે જે ફેર-માપણી કરાય છે અને તેના આધારે જે માપણી વધારો નિયમબધ્ધ કરવાનો થાય છે. આવી સ્થિતિમાં જંત્રી દર એકવડો કે બમણો વસૂલ કરવો ? જોકે, સરકારે આવા કિસ્સામાં જુલાઈ-૨૦૧૩માં એક ઠરાવથી તેની જાહેરાત કરી દીધી હતી એટલે હવે, તે ઠરાવને અનુસરવો કે નવા ઠરાવ-નિર્ણય મુજબ નવી (બમણી) જંત્રીનો દર વસૂલવો તે પ્રશ્ન ઉભો થયો છે.એવી જ રીતે, (૨) ૨૨મી, જૂન-૨૦૨૨૧ના રોજના ઠરાવ પ્રમાણે રાજય સરકાર દ્વારા ઔદ્યોગિક હેતુસર (સેઝ સિવાય) ફાળવવામાં આવેલી જમીનના કિસ્સામાં કંપની એકટની જોગવાઈઓ અંતર્ગત મર્જર, એકવિઝિશન, એમાલ્ગમેશન તથા શેર હોલ્ડિંગના ફેરફારને પરિણામે કંપનીનું નામ ફેર કરવાનું થાય કે તે નામ તબદીલ કરવાનું થાય ત્યારે કે પછી સંયુકત સાહસને જમીન તબદીલ કરવાની થતી હોય ત્યારે ૨૧મી, જૂન-૨૦૧૬ના ઠરાવની શરતોને આધિન સરકારી જમીન (સરકાર દ્વારા ફાળવવામાં આવી હોય તેવી જમીન)ની જે તે સમયની પ્રવર્તમાન જંત્રીની કિંમતના ૨૦ ટકા લેખ પ્રિમિયમ વસૂલવાનું જાહેર કરાયેલું છે.(૨૧.૩૦)

૧૪-૪-૨૦૨૩ સુધી ઈનવર્ડ થયેલી અરજીને જ લાભ

આવી સ્થિતિમાં કે આવા તમામ કિસ્સાઓમાં મહેસૂલ વિભાગ દ્વારા જુલાઈ-૨૦૧૩ અને જૂન-૨૦૨૧ના ઠરવ મુજબ જંત્રીન દરની વસૂલાત કરવી કે નવી જંત્રી (બમણી) જંત્રીના દરને લાગુ કરવો ? તે પ્રશ્ન પણ ઉભો થવા પામ્યો છે. પરિણામ સ્વરૂપ, નવી જંત્રીના દરની વસૂલાત માટે તંત્રની મૂંઝવણ વધી ગઈ છે એટલે હવે, ૨૪મી-મે-૨૦૨૩ના રોજ મહેસૂલ વિભાગે એવી ખાસ સ્પષ્ટતા કરી છે કે, આવા તમામ કિસ્સાઓમાં જે અરજી ૧૪-૪-૨૦૨૩ સુધી ઈનવર્ડ થઈ ગઈ હોય તો તેવી તમામ અરજીઓમાં આખરી હુકમ કરતી વખતે જૂની જંત્રી ધ્યાનમાં લઈને તે મુજબ જ પ્રીમિયમ વસૂલાશે પરંતુ જો, ૧૪-૪-૨૦૨૩ પછીની તમામ અરજીઓના કિસ્સામાં નવા પ્રવર્તમાન (બમણી) જંત્રીના દરોને ધ્યાનમાં લઈને જ નિર્ણય કરવાનો રહેશે.

(4:08 pm IST)