Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજ્યમાં કોરોનાના નવા 361 પોઝિટિવ કેસ : વધુ 27 દર્દીના મોત : મૃત્યુઆંક 915 થયો

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત ; નવા 251 કેસ , સુરતમાં 36 કેસ અને વડોદરામાં 31 નવા કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ખાસકરીને અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અમદાવાદમાં આજે  કોરોનાના વધુ 251 કેસ સહીત  રાજ્યમાં આજે નવા 361 પોઝિટિવ કેસ નોંધાયા છે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 14831 થયા છે

 રાજ્યમાં આજે વધુ 27 દર્દીના મોત થયા છે. સાથે જ મૃત્યુઆંક 915 થયો છે આજે 503 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છેઆ સાથે કુલ દર્દીઓ  7137 રિકવર થયા છે  રાજ્યમાં અમદાવાદમાં નવા 251 કેસ, સુરતમાં નવા 36 કેસ અને વડોદરામાં વધુ 31 કેસ થયા છે

   આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 361 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14829 થઇ છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો હતો.

ગુજરાતમાં કોરોના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૬૧ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૨૫૧

વડોદરા

૩૧

સુરત

૩૬

સાબરકાંઠા

ગાંધીનગર

જામનગર

બનાસકાંઠા

મહીસાગર

વલસાડ

ભાવનગર

અરવલ્લી

કચ્છ

નવસારી

જુનાગઢ

મહેસાણા

પંચમહાલ

પાટણ

રાજકોટ

અન્ય રાજ્ય

કુલ

૩૬૧

(10:11 pm IST)