Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદના બિલ્ડર અને એનજી ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડિરેકટર નરસિંહભાઈ પટેલનું કોરોનાથી મૃત્યુ

અમદાવાદઃ શહેરના જાણીતા બિલ્ડર નરસિંહભાઈ પટેલનું કોરોનાથી મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદનાં જાણીતા બિલ્ડર અને એનજી ગ્રુપ ઓફ કંપનીનાં મેનેજીંગ ડિરેકટર નરસિંહા પટેલનું સીમ્સ હોસ્પીટલમાં વહેલી સવારે કોરોનાથી અવસાન થયુ છે. તેઓ છેલ્લા ૫ દિવસથી સારવાર લઈ રહ્યા હતા.

નરસિંહભાઈના મોટાભાઈ અને એનજી ગ્રુપ ઓફ કંપનીનાં ચેરમેન નગીનભાઈએ જણાવ્યું હતું. તે ગત તા.૪ મેના રોજ નરસિંહભાઈને લીવરની ટ્રીટમેન્ટ માટે ડો.દેવલ પરીખના કિલનીકમાં દાખલ કરાયા બાદ જયાં ૧૪ દિવસ બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાયા હતા.

જેનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા હતા. તેમણે વહેલી સવારે અંતિમ શ્રાસ લીધા હતા. નરસિંહભાઈના પરિવારમાં બે પુત્રીઓ છે જે પરીણીત છે.

ઉલ્લેખનીય છે કે, સ્વ. નરસિંહભાઈ અને તેમનાં મોટાભાઈ નગીનભાઈ ભાગીદારીમાં એનજી ગ્રુપ ઓફ કંપનીના નામે રિયલ એસ્ટેટ ડેવલોપર અને બિલ્ડર તરીકે બિઝનેસ કરતા હતા.અમદાવાદમાં બંગલોઝ બનાવવાનું શ્રેય તેમનાં ગ્રુપને જાય છે.

(3:37 pm IST)