Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાઠ્યપુસ્તકમાં 'વનવાસી'ના બદલે આદિવાસી શબ્દ પ્રયોગ કરો

ધારાસભ્ય છોટુભાઇ વસાવાની મુખ્યમંત્રીને રજૂઆત

રાજપીપળા તા. ૨૬ : ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા દેશના આદિવાસીઓ માટે ઘણી લડત લડી રહ્યા છે. ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધો. ૭ની સમાજવિદ્યા વિષયનું નવુ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 'વનવાસી' શબ્દનો ઉપયોગ કરેલ છે. એ મામલે આદિવાસી નેતાઓએ સીએમ રૂપાણીને ફરિયાદ કરી 'વનવાસી'ની જગ્યાએ આદિવાસી શબ્દનો પ્રયોગ કરવા રજુઆત કરી છે. વનવાસી શબ્દનું ખોટું અર્થઘટન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.

(3:23 pm IST)