Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહામારી રોગ સામે આયુર્વેદિક શાસ્ત્ર આધારિત કીટ તૈયાર કરતા SGVP હોલિસ્ટીક હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્યો

અમદાવાદ તા.૨૬ અમદાવાદ ખાતે  શા.માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ નીચે ચાલતી SGVP ગુુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપથીનો સુભગ સમન્વય થયેલો છે.

    SGVP હોલિસ્ટીક હોસ્પિટલ દ્વારા વૈદ્ય તપનકુમાર, વૈદ્ય પ્રવિણભાઇ હિરપરા, સ્વપ્નિલ મોદી, વૈદ્ય વિનય વોરા, વૈદ્ય ભાવેશ જોષી, વૈદ્ય હિેતેન્દ્ર ગોહેલ, વૈદ્ય ભવદિપ ગણાત્રા, વૈદ્ય હિતિશા વોરા, વૈદ્ય કેના પટેલ, વગેરે વૈદ્યો દ્વારા આયુર્વેદિક શાસ્ત્ર આધારિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોગ પ્રતિકારક કીટ તૈયાર કરવામાં આવી છે

    રોગ પ્રતિકારક શક્તિ સંપુટ-કીટમાં આયુર્વેદ શાસ્ત્રના આધારે રોગ પ્રતિકારક શક્તિ માટે એક સંપુટ-કીટ તૈયાર કરવામા આવી છે. આ પ્રતિકારક શક્તિ સંપુટ-કીટમાં આઠ ઔષધિઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

.આરોગ્યપ્રાશ : આ ઔષધિથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે. અને માનસિક સમતુલા જાળવી રાખે છે.

.રક્ષોઘ્ન ધૂપ : આ ધૂપ ઘરની હવાને શુદ્ધ કરી, નાસિકા દ્વારા દાખલ થઇ વિષાણુને નાશ કરેે છે.

.સૌગન્ધ્ય પોટલી : આમાં રહેલી ઔષધિઓની સુગંધ નાસિકા દ્વારા ફેફસાને પહોંચાડી શરીરના કોષોનેસશક્ત બનાવે છે.

.એલાદિવટી - ઔષધિ શ્વસન તંત્રમાં જમા થયેલ દુષિત કફને પીગાળીને બહાર કાઢે છે. શ્વસન તંત્રને સશકત બનાવે છે.

.નસ્ય ઘૃતઃ- નાક વાઇરસનું  મુખ્ય પ્રવેશદ્વાર છે. નસ્ય દ્વારા ઔષધિય ઘીના બે ટીપાં નાકમાં નાખવાથી વિષાણુઓ  પ્રવેશી શકતા નથી.સ્વપ્નિલ મોદી

.અષ્ટામૃત કલ્પ : આ ઔષધિ શરીરમાં રહેલા વિજાતીય તત્વોનો નાશ કરી શરીરનું  શુદ્ધકરણ કરે છે.

.ગંડુષ તેલ : આ ઔષધીય તેલને દસ મિનીટ સુધી મોંમાં રાખવાથી શરીરમાં આવતા વિજાણુઓ પ્રવેશ કરી શકતા નથી.

.બાયોબ્લીસ : આ ઔષધ શરીરની સાતેય ધાતુઓને પર્યાપ્ત માત્રામાં પોષણ આપી ઓજવૃદ્ધિ કરે છે. તેનાથી રોગોનો પ્રતિકાર થઇ શકે છે.

 આ ઔષધીય કીટ બે પ્રકારની છે.( ) રોગ પ્રતિકારક કીટ () રોગ પ્રતિકારક કીટ (DS) 

   વધારે વિગત માટે સંપર્ક કરો SGVP  હોલિસ્ટીક હોસ્પિટલ,છારોડી, અમદાવાદ                                            વૈદ્ય  હિતિશાબેન વોરા મો.નં.૭૯૯૦૩૧૨૬૪૫   રોગ પ્રતિકારક કીટના ફોટા સાથે મેટર લેવા વિનંતી  

(12:57 pm IST)