Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વિજય ઉત્સવની સાથે સાથે

અશોક ભટ્ટના દાળવડા લાવવાની યાદ તાજી કરી

અમદાવાદ, તા.૨૬  : દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સાંજે ખાનપુર ભાજપ કાર્યાલય પાસે જનસભાને સંબોધન કર્યું હતું. મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વિજયોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વિજયોત્સવની સાથે સાથે નીચે મુજબ છે.

¨    લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવ્યા બાદ મોદી ગુજરાતની જનતાનો આશીર્વાદ મેળવવા માટે અમદાવાદમાં પહોંચ્યા

¨    અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે મોટી જનમેદની વચ્ચે મોદી અને શાહે સંબોધન કર્યું

¨    સુરતમાં અગ્નિકાંડની ઘટનાના પરિણામ સ્વરુપે ખુબ જ સાદગીપૂર્વક વિજય ઉત્સવ યોજાયો

¨    સુરત અગ્નિકાંડના પરિણામ સ્વરુપે કોઇપણ પ્રકારની આતશબાજી અને અબીબ ગુલાલની છોડો ન ઉડી અને ઢોલ-નગારાના અવાજ પણ સાંભળવા ન મળ્યા

¨    ઉત્સાહિત કાર્યકરોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા

¨    મોદીના સંબોધન પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું

¨    ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સંબોધન કર્યું

¨    મોદી ખાદીના સફેદ કુર્તા અને પાયજામામાં વિશેષ ધ્યાન ખેંચી રહ્યા હતા

¨    એરપોર્ટથી ખાનપુર સુધી મોદીનો કાફલો સાદગીપૂર્ણરીતે પસાર થયો

¨    મોદી કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ભાજપની ઓફિસમાં પણ પહોંચ્યા

¨    ભાજપની ખાનપુર ઓફિસમાં ઉપર જઇને પણ લોકોનો આભાર માન્યો

¨    મોદી ખાનપુર ઓફિસમાં વર્ષો સુધી સંગઠનના કાર્યમાં જોડાયેલા રહ્યા હતા

¨    ગુજરાત આવી પહોંચેલા મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા સાદગીથી સ્વાગત કરાયું

¨    જેપી ચોકના કાર્યક્રમમાં અભૂતપૂર્વ સંખ્યામાં લોકો પહોંચ્યા

¨    વિમાની મથકે મોદી પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પહોંચ્યા

¨    મોદીએ સરદાર પટેલની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરી

¨    મોદીનો કાફલો એરપોર્ટથી ડફનાળા ચાર રસ્તા, રિવરફ્રન્ટ થઇને ખાનપુર પહોંચ્યો

¨    આવતીકાલે સોમવારે રાજભવનથી દિલ્હી પરત ફરશે

¨    મોદીએ પોતાના સંબોધનમાં વિતેલા વર્ષોની યાદ તાજી કરી

¨    પૂર્વ ગૃહમંત્રી અશોક ભટ્ટ દ્વારા કઈરીતે દાળવડા મંગાવવામાં આવતા હતા તેની પણ યાદ તાજી કરી

(9:36 pm IST)