Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબાના આશીર્વાદ મેળવ્યા........

એક ઝલક મેળવવા લોકો ઉમટ્યા

અમદાવાદ,તા. ૨૬ : લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી આજે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ખાનપુર ખાતે ભાજપ કચેરી પર લોકોનો આભાર માન્યા બાદ અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યા બાદ મોડી સાંજે મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા. મોદી પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત માટે તમામ તૈયારી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી. મોદીના આગમનને લઇને મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે પહોંચી ગયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હિરાબા સાથે થોડાક સમય રોકાયા હતા. લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત પહોંચ્યા હતા.

(9:35 pm IST)