Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરત અગ્નિકાંડ : આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં

સમયસર પગલાંનો અભાવ :તો માસુમ બાળકોનો જીવ બચાવી લેવાયો

 

સુરત: સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. માસૂમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોતાના જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ જીવલેણ ભૂસકા મારવા પાડ્યાં. જે બતાવે છે કે તંત્રની કામગીરી કેટલી ખાળે ગઈ છે.

  સમગ્ર ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ત્યારે જોઈને એમ લાગે કે જો સમયસર અંગે પગલાં લેવાયા હોત તો માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આગની શરૂઆત કેવી રીતે થઈ. ધીમે ધીમે ચિંગારી સ્વરૂપે સળગી ઉઠેલી આગે ત્યારબાદ તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ.

(12:09 am IST)