Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

વાસંદાના માનકુનિયામાં ઘર કંકાસમાં પત્નીએ આંગણામાં સુતેલા પતિની ઢીમ ઢાળ્યું

વાંસદા:નાં માનકુનીયા ગામે ઘર કંકાસમાં પત્નીએ રાત્રિના સમયે ઘરના આંગણામાં સુતેલા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાંસદા તાલુકાના માનકુનીયાગામે બના ફળિયામાં સરકારી આવાસમાં રહેતા મંગળેભાઇ માહદુભાઇ વળવી (ઉ.વ.આ. ૩૮) તેની પત્ની મીનાબેન તથા ત્રણ દિકરીઓ સાથે રહેતો હતો. મંગળે અને તેની પત્ની મીના છુટક કામ કરી ગુજરાન ચલાવતા હતા. બંને વચ્ચે ઘરની નાની મોટી બાબતે તથા મજુરી બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. તા.૨૪મીએ ગુરૃવારે પણ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ બોલાચાલીનો અળાજ મંગળેના પિતાએ પણ સાંભળેલો પરંતુ આવા ઝઘડા અવારનવાર થતાં હોય ધ્યાન આપેલું નહીં પરંતુ બીજા દિવસે શુક્રવારે સવારે મીનાએ મંગળેના પિતા માહદુભાઇને કહ્યું કે, મંગળે સવાર થઇ ગઇ છતાં ઉઠતો નતી એટલે પિતાએ ધાબળો ઓઢીને ઘરના આંગણામાં સુતેલા પોતાના પુત્રને ઉઠાડતા તે ઉઠયો નહીં અને આખરે ધાબળો હટાવીને જોતાં મંગળેની લાહીમાં ખરડાયેલી લાશ જોવા મળી.

(5:35 pm IST)