Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

બારડોલીના છીત્રા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા:કેરીની બબાલમાં મર્ડર થયાનું ખુલ્યું

સુરત:જિલ્લાના બારડોલીના છીત્રા ગામાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા થઇ છે જેના પગલે ખેડૂત પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ  આંબા વાડી પેટે 8 મણ કેરી ન અપાતા છેલ્લા બે ત્રણ  દિવસથી માથાકુટ થઈ હતી. જેને લઈને ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાની વાડી ભાડે રાખનાર શખ્સે આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

   આ ખેડૂતની હત્યા ગઈકાલે બપોરબાદ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ખેતરના શેઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સુરત જિલ્લાના બારડોલીના છીત્રા ગામની છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)