Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરતમાં લગ્નના 25માં દિવસે વોલીબોલના રાષ્ટ્રીય ખેલાડીનું રોમિતનું મોત:તબીબની બેદરકારીનો આક્ષેપ

લગ્નના થોડા દિવસ બાદ તે ગોધરા કેમ્પમાં ગયેલ જ્યાં તેને તાવ આવી ગયો હતો

સુરત: સુરતમાં વોલીબોલના રાષ્ટ્રીય ખેલાડી રોમિત બુનકીનું સારવાર દરમિયાન મોત થયું છે.પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવ્યો છે  આ ખેલાડીના લગ્ન હજુ 25 દિવસ પહેલા જ થયા હતા. રોમિત સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.

ગોધરા કેમ્પમાં ગયેલા રોમિત બુનકીનું ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. જેથી પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તબિબની બેદરકારીના કારણે તેનું મોત થયું છે. જેથી તેને ન્યાય માટે લડવાની તૈયારી દર્શાવી છે.

  રોમિસ જયેશકુમાર બુનકીના લગ્ન 30મી એપ્રિલે થયા હતા. રોમિસ લગ્નના થોડા દિવસ બાદ તે ગોધરા કેમ્પમાં ગયો હતો. જ્યાં તેને તાવ આવી ગયો હતો. જેથી તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ ત્યાં કંઈ ફરક ન પડતા તેને સુરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની 3 દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

 

(2:28 pm IST)