Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો શનિવારે મુંબઈમાં રોડ શો : રવિવારે એમપીના સાગરમાં પ્રબુદ્ધ વર્ગના સંમેલનને સંબોધશે

મુખ્યમંત્રી રૂપાણી ભાજપના ઉમેદવારના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે;

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની વેગીલો પ્રચાર કર્યો હતો અને મતદાન પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શનિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં અને રવિવારે મધ્યપ્રદેશના સાગરમાં ભાજપા ઉમેદવારોના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શનિવાર,તા.ર૭ના  રરોજ  મહારાષ્ટ્રના મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં અને તા. ર૮ એપ્રિલે મધ્યપ્રદેશના સાગરમાં પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે.

  વિજયભાઇ રૂપાણી આવતીકાલે શનિવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી મુંબઇ મહાનગરના ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ-શૉ યોજશે. 

મુખ્યમંત્રી મુંબઇ ઉત્તરપૂર્વ લોકસભા બેઠક માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની મનોજ કોટકના સમર્થનમાં રોડ-શૉ કરવાના છે તથા ત્યારબાદ ભાનૂશાળી વાડી, તિલકરોડ, ઘાટકોપરમાં જનસભાને સંબોધન કરશે.વિજયભાઇ રૂપાણી રાત્રે ગાંધીનગર પરત આવશે. 

 મુખ્યમંત્રી  રવિવાર તા.ર૮ એપ્રિલે મધ્યપ્રદેશ જશે અને સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના પ્રત્યાશી શ્રી રાજબહાદૂરસિંહજીના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. 

વિજયભાઇ રૂપાણી રવિવારે સવારે ૧૦-૦૦ કલાકે રવિન્દ્રભવન સાગર (મધ્યપ્રદેશ)માં યોજાનારા પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં સંબોધન કરશે.

 

(6:56 pm IST)