Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મુખ્યમંત્રીએ અંબાજીમાં સુવર્ણ શિખર બનાવવા ૩૧૦૦૦નું દાન કર્યું

અમદાવાદ તા. ૨૬ : વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિર શિખરને સુવર્ણમય અને યાત્રિકોની સુવિધાઓ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર તથા વહીવટદાર સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ મંદિર સુવર્ણમય શિખર બનાવવા માટે રૂ. ૩૧૦૦૦નું દાન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ સવારની આરતીમાં બેસી દર્શન અને પૂજા અર્ચન કર્યા બાદ ગબ્બર પર જઇ માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે ગુજરાતની અને દેશની પ્રગતિ, સુખ સમૃદ્ઘિ વધે તે માટે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.

(3:43 pm IST)