Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

નિઃસહાય વૃદ્ઘ વડિલો અને નિરાધાર વ્યકિતઓને વિનામૂલ્યે ભોજન સેવા સ્વૈચ્છિક સેવા સંગઠનો ના સહયોગથી ઘેર બેઠા પૂરી પાડશે

વિજયભાઇ રૂપાણીની સંવેદનસ્પર્શી વડીલ વંદના : આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુકત કરાયાઃ જીવન આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો પણ પહોચાડવામાં સહાય કરશે

અમદાવાદ, તા. ર૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજયના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિૅંસહાય વૃદ્ઘ વડિલો અને નિરાધાર વ્યકિતઓને દ્યેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.ઙ્ગ

શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં દ્યરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિૅંસહાય વૃદ્ઘ વડિલોનેઙ્ગ અને નિરાધાર વ્યકિતઓ ને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં દ્યરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્ત્।ાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.ઙ્ગ

આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, અમદાવાદ-મહાનગરમાં શ્રી પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત-ઙ્ગ શ્રી આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ-શ્રી ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર-શ્રી એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર-શ્રી ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર–શ્રી અમિત સિંદ્યાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ-શ્રી હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.ઙ્ગ

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વૃદ્ઘ નિૅંસહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ દ્યરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.

(4:34 pm IST)