Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના વાયરસ વચ્‍ચે રાજ્‍યમાં કમોસમી વરસાદનો કહેર વરસ્‍યો : દાહોદમાં વીજળી પડતા યુવકનું મોત

અમદાવાદ તા. ૨૬ : કોરોના વાયરસને કારણે સમગ્ર રાજય ટેન્‍શનમાં મુકાયું છે આવામાં રાજયભરના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. રાજયભરમાં ગઇકાલથી અનેક શહેર-જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્‍યો છે. જેને કારણે રાજયનું વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે.

ર્ીઅત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, ૨૪ થી ૨૬ માર્ચ સુધીવાતાવરણમાં પલટો આવશે. રાજયમાં કમોસમી વરસાદ પડશે. ૨૫ અને ૨૬ માર્ચે થન્‍ડર સ્‍ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે.

દાહોદના સંજેલી તાલુકામાં વાંસીયા ગામે વીજળીના કડાકા સાથે ગઇકાલે વરસાદી ઝાપટું પડ્‍યું. ઘોડાવડલી ફળીયામાં મકાન પર વીજળી પડતા યુવકનું મોત થયું. પોલીસે યુવકના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્‍પિટલમાં મોકલી આપ્‍યો.હતો

અમદાવાદના શહેરના વાતાવરણમાં ગઇકાલે અચાનક પલટો આવ્‍યો છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. એસપી રિગ રોડ, સિંધુ ભવન, પ્રહલાદ નગર, વષાાપુર વગેરે વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્‍યું હતું

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો. સંખેડા તાલુકામાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્‍યું. ખેડૂતોમાં ચિંતા વધુ વરસાદ પડે તો પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે

વડોદરાના પાદરામાં કમોસમી વરસાદ પડ્‍યો હતો. ચારે તરફ વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું. ગઇકાલે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો. વરસાદી માહોલ સર્વત્ર જામ્‍યો છે. વડોદરાના ડભોઇના વાતાવરણમાં પલટો આવ્‍યો છે.

ભરૂચમાં કોરોના વાયરસની દહેશત વચ્‍ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્‍ચે કેટલાક સ્‍થળે વરસાદી માહોલ જોવા મળ્‍યો. શહેરી વિસ્‍તારમાં સવારથી અમી છાંટણા જોવા મળ્‍યા.હતા

ગીર સોમનાથના વાતાવણમાં ગઇકાલે પલટો આવ્‍યો. વાદળછાયું વાતાવણ છવાયેલું છે.વેરાવળ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. કમોસમી વરસાદ થશે તો ખેડૂતો ભારે નુકસાનની ભીતી છે. કમોસમી વરસાદ થશે તો ઘઉં, ચણા, બાજરી જેવા પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

ડાંગના વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો. ગિરિમથક સાપુતારા ખાતે ગઇકાલે વરસાદી માહોલ છવાયેલો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ છે.

જામનગરમાં સતત બીજા દિવસે ધાબડીયું વાતાવરણ જોવા મળ્‍યું. આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્‍યું. સર્વત્ર માવઠું પડે તેવો છવાયો માહોલ છવાયેલો છે.

ડભોઇ, કુઢેલાં, પલાસવાળા, થુવાવી સહિતના ગામોમાં પણ ગઇકાલે વરસાદ જોવા મળ્‍યો. ખેતીના પાકોમાં નુકશાનની આશંકા સેવાઈ રહી છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્‍યા છે.

ખેડા અને નડિયાદના વાતાવરણમાં ગઇકાલે પલટો આવ્‍યો છે. વરસાદના કારણે રસ્‍તા ભીંજાયા છે. કોરોના વાઈરસના કહેર વચ્‍ચે વરસાદી માહોલથી લોકોમાં ભય રહ્યો છે. વરસાદના કારણે વાયરસ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે

દાહોદ પંથકના વાતાવરણમાં ગઇકાલથી પલટો આવ્‍યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે કમોસમી વરસાદી ઝાપટું છે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું. લુણાવાડાનગરમાં ધીમીધારે વરસાદ પડ્‍યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(1:40 pm IST)