Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

હોંગકોંગ સમુદ્રમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બાંધવામાં શ્રેષ્ઠ એન્જીનીયર તરીકે એવોર્ડ વિજેતા, એસજીવીપીમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહેલ ડો.રવિભાઇ ત્રિવેદી તથા તેના પુત્ર ચિરાગભાઇનું ગુરુકુલ દ્વારા સન્માન

અમદાવાદ તા.૨૬  બ્રાહ્મણકુળમાં જન્મેલા અને જેના રોમે રોમમાં બ્રહ્મતત્વ છલકાઇ રહેલ છે એવા ડો.રવિભાઇ ત્રિવેદી કે જેણે દુનિયાભરના ત્રણસોથી પણ વધુ એરપોર્ટના સલાહકાર તરીકે સેવા આપી છે. ઉપરાંત હોંગકોંગના દરિયા પરના વિશ્વ પ્રસિદ્ધ ફ્લોટીંગ એરપોર્ટના બાંધકામમાં મહત્વનું યોગદાન આપી, કેનેડા સ્થિત ગુજરાતી એન્જીનીયર અને હાલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે ચાલી રહેલ એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ સાથે શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહેલ અને અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા ધ કમિશન ઓફ ઇન્ટરનેશનલ અેન્ડ ટ્રાન્સરીઝીઓનલ એક્રેડીશન - સીટા ( CITA ) કે જે હવે એડવાન્સ (AdvancEd) નામે પ્રખ્યાત છે તેના પ્રતિનિધિ એવા ડો. શ્રી રવિભાઇ ત્રિવેદીનું તથા તેના પુત્ર કે જેઓ કેનેડાની એડીસ ઇન્ટરનેશનલ કંપનીમાં અગ્રગણ્ય વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહેલ છે એ ચિરાગભાઇ ત્રિવેદીનું પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાલ ઓઢાડી, રક્ષા સુત્ર બાંધી, હાર પહેરાવી બહુમાન કર્યું હતું.

    ડો.રવિભાઇ ત્રિવેદીએ ભારતમાં ઇલે.અેન્જી.માં ડીગ્રી પ્રાપ્ત કરી, મિકેનિકલ અેન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં પણ સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઇલેક્ટ્રીક એન્જીનીયરીંગમાં અમેરિકાથી ડીગ્રી પ્રાપ્ત કરીને ટોરોન્ટો કેનેડાના સાઇટ એન્જી.થી શરુ કરી કેનેડિયન રાષ્ટ્રિય ટ્રાન્સપોરેશન પોલિસી, જે મિનીસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ સંભાળે છે

     તેઓને કેનેડા સરકાર તરફથી અસાધારણ સેવા બદલ સુવર્ણ ચંદ્રક એનાયક કરવામાં આવેલ. અમેરિકાની રેગન સરકાર સમયે ફેડરલ એવિએશન એસોસિયેશનમાં સ્ટિયરીંગ બોર્ડમાં પ્રથમ નોન અમેરિકન તરીકે નિમણૂંક પામવાનું શ્રેય પણ રવિભાઇને મળેલ છે. કેનેડાના એરપોર્ટ સહિત દુનિયાના બેહરીન, સિએટલ, ડેનવર, કેન્સાસ, મેડ્રિડ, મ્યુનિચ, જેવા સંખ્યાબંધ એરપોર્ટમાં એડવાઇઝર તરીકે રવિભાઇ રહી ચુક્યા છે.

      તેઓશ્રીએ હોંગકોંગના દરિયા પર ૩૬૦૦ હેક્ટરનું વિશાળ એરપોર્ટ તૈયાર કરી, તેમાં કશું જ દેખાતું ન હોય તેવી પરિસ્થિતિમાં-ધુમ્મસ ભરેલા વાતાવરણમાં પાયલોટ વિમાનનું ઉતરાણ કરી શકે અેવી ઓટોમેટેડ વિઝ્યુઅલ ગાઇડન્સ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સ્થાપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

       હાલ તેઓ કેનેડામાં આરટી એન્જીનીયરીંગ કન્સલ્ટ સંસ્થાના સીઇઓ તરીકે સેવા આપે છે અને સુપરવિઝનથી માંડીને અેક્ઝીક્યુટીવ કક્ષાના મેેનેજરોને વિવિધ મેનેજમેન્ટ કોર્સ અંતર્ગત ટ્રેઇનીંગ પણ આપે છે. તેમના પગલે તેમનાં ધર્મપત્ની શ્રી અંજલિબેન પણ સહકાર આપે છે.

     અાનંદની વાત તો એ છે કે અેસજીવીપી ગુરુકુલ વિદ્યાલયને સીટા ( CITA ) સાથે જોડી ઇન્ટર્નેશનલ કક્ષામાં સ્થાન આપવામાં રવિભાઇ ત્રિવેદીનો અમૂલ્ય ફાળો રહેલ છે. તેઓ હાલ એસજીવીપી ઇન્ટરનેશનલ રિલેકશન ડાઇરેક્ટર છે.

    તેઓ એસજીવીપીમાં ધો.૧૧,૧૨ સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં માર્ગદર્શન પુરુ પાડે છે. દરરોજ ગુરુકુલમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજની આગળ રવિભાઇ અને તેમના ધર્મ પત્ની અંજલિબેન વેદની ઋચાઓ મૌખિક બોલી પૂજન કરે છે.

    તાજેતરમાં પુલવામામાં શહીદ થયેલ ભારતના નવયુવાન સૈનિકોના કુટુંબીઓને SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા એકઠા કરેલ રુપિયા ૬,૫૦,૦૦૦ (છ લાખ પચાસ હજાર) માં ૩,૫૦,૦૦૦  ત્રણ લાખ પચાસ હજાર ઉમેરી ૧૦ લાખ પુરા રવિભાઇ ત્રિવેદીએ કરેલ છે.

    તેમના પુત્ર શ્રી ચિરાગ ત્રિવેદી પણ પોતાના પિતાને પગલે ચાલી રહેલ છે. કે જેઓ એડીસ ઇન્ટરનેશનલ કંપનીમાં અગ્રગણ્ય વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહેલ છે. અાધુનિક ટેક્નોલોજી ટેલિકોમ્યુનીકેશનથી માંડીને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ માટેના સાધનો મેન્યુફેકચરીંગથી માંડીને ગ્રાહક ઉપયોગી સુધીની જવાબદારી સંભાળી રહ્યા છે.

    ગુરુકુલમાં એસજીવીપી અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની સંયુક્ત સભા પ્રસંગે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ ડો. રવિભાઇ અને ચિરાગભાઇનું સન્માન કરતા જણાવ્યું હતું કે SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વિકાસમાં ડો. રવિભાઇ ત્રિવેદીનો અમૂલ્ય ફાળો રહેલો છે. સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલા શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફાેન દ્વારા શુભાશીર્વાદ આપ્યા હતા. બહેનો વિભાગમાં અંજલિબેન ત્રિવેદીને ઋષિકુમારોએ પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. દુન્યવી રીતે આટલા ઉંચા સ્થાનમાં રહેવા છતા ભારતીય સંસ્કારો સાથે પોતાનું બ્રાહ્મણત્વ ટકાવી રાખેલ છે એવા રવિભાઇ અને ચિરાગભાઇને અભિનંદન

 

(12:54 pm IST)