Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મુંબઇના નાલાસોપારા વિસ્‍તારમાં અપહરણ કરાયેલ બાળકીની લાશ નવસારીના મહિલા શૌચલયમાંથી મળી

નવસારીઃ નવસારીના મહિલા શૌચાલયમાંથી પાંચ વર્ષની બાળકીની લાશ મળતા ચકચાર મળી ગઈ છે. આ મહિલા શૌચાલય પ્લેટફોર્મ નંબર 1 પર આવેલું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બાળકીનું નામ અંજલી સંતોષ સરોજ છે. જેનું મુંબઈના નાલાસોપારાથી એક મહિલા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અને એક મહિલા બાળકીનું અપહરણ કરી જતી હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આ બાળકીના મૃતદેહના ગળા પર ઇજાના નિશાન હોવાથી  હત્યા આશંકાના પગલે ફોરેન્સિક પીએમ અર્થે બાળકીના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલામાં રેલવે  પોલીસે તપાસ હાત ધી હતી

હાલમાં આ બાળકીના મોતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. પરંતુ બાળકીના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે.

(5:52 pm IST)