Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજ્યમાં કોરોના વકર્યો : નવા 460 કેસ નોંધાયા : વધુ 315 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 4408 : કુલ 2,62,487 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 2 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 1,65,538 લોકોને રસી અપાઈ : કુલ 8,20,700 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 109 કેસ, અમદાવાદમાં 101 કેસ , સુરતમાં 74 કેસ, રાજકોટમાં 67 કેસ, કચ્છમાં 9 કેસ, જૂનાગઢમાં 8 કેસ, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, જામનગર અને પંચમહાલમાં 6-6 કેસ, મહેસાણા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 2136 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 460 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 315 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 460 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 315 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,62,487 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી  રાજ્યમાં  મૃત્યુઆંક 4408 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,57 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે બીજા તબક્કામાં વધુ કુલ 1,65,538 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,20,700 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 2136 એક્ટિવ કેસ છે, જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર અને 2098 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,62,487 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 460 પોઝિટિવ કેસમાં વડોદરામાં 109 કેસ,અમદાવાદમાં 101 કેસ ,સુરતમાં 74 કેસ,રાજકોટમાં 67 કેસ,કચ્છમાં 9 કેસ,જૂનાગઢમાં 8 કેસ, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર , જામનગર અને પંચમહાલમાં 6-6 કેસ,મહેસાણા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા

(8:10 pm IST)