Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગુજરાતનાં બજેટમાં શહેરી વિકાસ અને નિર્માણ માટે અધધ રૂપિયા 13440 કરોડની જોગવાઈ

શહેરોને સ્માર્ટ સિટી બનાવવા રૂપાણી સરકારે બજેટમાં કરોડો-અબજો રૂપિયાની જોગવાઇ કરી:ગુજરાતનાં તમામ નગરો - શહેરો બનશે તમામ સ્માર્ટ સિટી

અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વર્ષ 2020-21 માટેના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. 13440 કરોડની જોગવાઇ કરી છે. ભારત સરકારે જે રીતે દેશના વિવિધ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરી છે તેવી જ રીતે ગુજરાત સરકારે રાજ્યના નગરોને સ્માર્ટ ટાઉન બનાવવા વિવિધ આયોજન કર્યા છે. જે માટે બજેટમાં આ મુજબ જોગવાઇઓ કરવામાં આવી છે.

* શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 4544 કરોડની જોગવાઇ
* જે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુવઠવાની સુવિધા ઉભી કરવા માટે રૂ. 1169 કરોડની ફાળવણી
* પીણાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે રૂ. 500 કરોડની જોગવાઇ
* મુખ્યમંત્રી સડક યોજના માટે રૂ. 500 કરોડની જોગવાઇ
* ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુસર ફ્લાયર ઓવર બનાવવા માટે રૂ. 500 કરોડ ફાળવ્યા
* શહેરોની નજીકના વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ. 250 કરોડ ફાળવવામાં આવ્યા
* સ્માર્ટ ડાઉન યોજના હેઠળ  ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલી પાંચ નગરપાલિકાઓના વિકાસ કામ માટે દર વર્ષે રૂ. 20 લેખે પાંચ વર્ષમાં રૂ. 100 કરોડ ફાળવવામાં આવશે
* અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ વધારવા તેમજ ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ માટે રૂ. 406 કરોડની ફાળવણી
* નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા માટેના સાધનો ખરીદવા રૂ.15 કરોડની સહાય અપાશે
* અમૃત યોજના હેઠળ 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકોઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીના નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.800 કરોડની જોગવાઇ
* સ્માર્ટ સિટી મિશન હેઠળ 6 શહેરોમાં વિકાસના વિવિધ કામો માટે રૂ. 597 કરોડની જોગવાઇ
* એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધાઓ ઉભી કરાશે
* યુવાનોને રોજગાર માટે તાલીમ આપવા ભારત સરકારના સ્ટ્રાઇવ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 33 કરોડની જોગવાઇ
* પ્રોજેક્ટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આવરી લેવાઇ સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 200 કરોડની જોગવાઇ
* રેલવે ફાટકો પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા રૂ.200 કરોડની જોગવાઇ
* સ્વચ્છ-ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા માટે રૂ.56 કરોડની જોગવાઇ

* સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓના સહાય અને કામગીરી અપાશે

* પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ. 830 કરોડની જોગવાઇ, આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં સૌને ઘર પૂરું પાડવાના હેતુ માટે 6 લાખ આવાસો મંજૂરી કરાયા

* આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઘર-મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી મળશે રૂ.1 લાખની સહાય, બજેટમાં સહાય આપવા રૂ. 50 કરોડની જોગવાઇ
* ફાયર સ્ટેશનો માટે અત્યાધુનિક સાધનો વસાવવા રૂ. 106 કરોડની જોગવાઇ
ગુજરાતનાં વિકાસને વેગવંતુ બનાવનારું બજેટ

(7:25 pm IST)