Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરતમાં સોનગઢની પરિણીતાને દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ ગુજારી તરછોડી દેનાર એનઆરઆઈ પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:લંડનમાં પ્રેમલગ્ન કરનાર એક સંતાનની માતાને તેના ચારિર્ત્ય અંગે શંકા વ્યક્ત કરી દહેજમાં સોનુ લઇ આવવા માટે શારિરીક-માનસિક ત્રાસ આપી ત્યજી દેનાર એનઆરઆઇ પંજાબી પતિ અને સાસુ-સસરા વિરૃધ્ધ અડાજણ પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

પાલનપુર કેનાલ રોડ સ્થિત માધવપાર્ક સોસાયટીમાં રહેતી હેમાલી અતુલકુમાર ટેલર (.. 32 મૂળ રહે. સોનગઢ, જિ. તાપી) ના લગ્ન વર્ષ 2006માં સોનગઢના યુવાન સાથે થયા હતા. પરંતુ પતિ દારૃનો વ્યસની હોવાથી છુટાછેડા લઇ લીધા હતા અને હેમાલી અભ્યાસ માટે લંડન ગઇ હતી. જે દરમ્યાન વર્ષ 2010માં તેનો પરિચય લંડનમાં વાઇન શોપ ધરાવતા અમનદીપસિંઘ ચાનનસિંઘ (રહે. ગુરૃસાગર નેતાજી નગર, ગુરુદ્રારા નજીક, લુધીયાણા, પંજાબ) સાથે થયો હતો અને બંન્નેએ માર્ચ 2014માં લંડનના વેલેન્ટાઇન્સ સ્યુટ ક્વીન વિક્ટોરીયા હાઉસ ખાતે રજીસ્ટર્ડ લગ્ન કરી લીધા હતા. શરૃઆતમાં હેમાલીનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. પરંતુ વર્ષ 2015માં હેમાલીના ભાઇના લગ્ન હોવાથી તે ભારત આવી હતી અને લગ્નમાં પતિ અને તેના સસરા ચાનનસિંઘ અને સાસુ સુખવિંદર કૌર પણ આવ્યા હતા.

(5:39 pm IST)