Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એન્કાઉન્ટરની પોલીસ બેડામાં કથિત ચર્ચા અંગે તપાસની ખાતરી આપતા પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ :ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એન્કાઉન્ટરની કથિત ચર્ચા પોલીસ બેડામાં થતી હોવા મુદ્દે તપાસ કરવાની ખાતરી આપી છે. વિધાનસભામાં પાટણ કાંડ મુદ્દે ચર્ચા દરમ્યાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું માઇક બંધ કરવાના મુદ્દે હોબાળો થયો હતો.જો કે બપોર બાદ જીજ્ઞેશ મેવાણીને બોલવાની તક આપવામાં આવતા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

 

   કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમદાવાદના એક પોલીસ ગ્રુપમાં જીજ્ઞેશ મેવાણીનું એન્કાઉન્ટર કરવાની વાતો થઇ રહી છે. સરકાર મામલે મૌન હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા ત્યારે ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું હતું કે મામલે તપાસ કરાવામાં આવી રહી છે. સરકાર દ્વારા કોલ ડિટેઇલ અને મેસેજ ફેલાવનારા ગ્રુપની તપાસ કરી જવાબદારો સામે સખ્ત પગલાં ભરવામાં આવશે તેમ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

(1:28 am IST)