Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબી- માળિયા પંથકમાં ભૂકંપ વખતે યાદગાર કામગીરી

મંત્રી પરબતભાઈ પટેલના અંગત સચિવ તરીકે અધિક કલેકટર આઈ.એસ. પટેલ

રાજકોટ, તા. ૨૬ :. રાજ્ય સરકારે પાણી પુરવઠા અને સિંચાઈ (સ્વતંત્ર હવાલો) વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરબતભાઈ પટેલના અંગત સચિવ તરીકે અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આઈ.એસ. પટેલ (મો. ૯૪૨૯૦ ૩૬૨૦૨)ની નિમણૂક કરી છે.

મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની શ્રી આઈ.એ.એસ. પટેલે અગાઉ મોરબીમાં ભૂકંપ વખતે યાદગાર કામગીરી કરેલ. તેઓ જિલ્લા પુરવઠા અધિકારી ઉપરાંત રાજ્યના તત્કાલીન પ્રધાનો નરોતમભાઈ પટેલ (નાગરિક પુરવઠા), ગણપતભાઈ વસાવા (વન પર્યાવરણ) અને ચિમનભાઈ સાપરિયા (કૃષિ - ઉર્જા)ના અંગત સચિવ તરીકે કામગીરી કરી ચૂકયા છે.(૨.૬)

(11:44 am IST)