Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજપીપળા મિતગ્રૂપના સદસ્ય અને નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિત વસાવાએ જન્મ દિને રક્તદાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મિતગ્રૂપ ઘણા સમયથી રક્તદાન અને અન્ય સેવકાર્યો કરતું આવ્યું છે જેમાં આજે મિતગ્રૂપના સદસ્ય અને નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિતભાઈ વસાવાએ આજે તેમનો જન્મ દિવસ પણ એક સેવાકાર્ય કરો ઉજવ્યો, તેમણે આજે જન્મ દિવસ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન કરી જિલ્લાના જરૂરીયાતમંદને કોરોના મહામારીના સમયમાં લોહી કામ લાગે તેવા શુભ આશયથી રક્તદાન કર્યું હતું

અજીતભાઈ વસાવા ઘણા વર્ષોથી મીત ગ્રુપના માધ્યમથી જરૂરિયાતમંદોને રક્તદાન કરી એમની જીંદગી બચાવવામા મદદરૂપ થતા આવ્યા છે.અને આજે વધુ એક વખત રક્તદાન કરી તેમણે અન્યોને પ્રેરણા આપી હતી.

(10:07 pm IST)