Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોની કનડગત પરપ્રાંતીયોને માર મારી રોકડ રકમ લઇ લીધી

કિન્નરોના માનસિક અને શારીરિક ત્રાસ સામે પરપ્રાંતીય કામદારોમાં રોષ

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતીય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી હતી. અંદાજે ૨૫થી વધુ પરપ્રાંતીય કામદારોને ટ્રેનમાં કિન્નરોએ મારામારી કરી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. રતલામથી સુરેન્દ્રનગર મજૂરી કામ અર્થે આવતા પરપ્રાંતીય કામદારો સાથે બનાવ બન્યો હતો. કિન્નરોના માનસિક અને શારીરિક ત્રાસ સામે પરપ્રાંતીય કામદારોમાં રોષ જોવા મળ્યો.

(12:09 am IST)